ભારતમાં ચિત્તાઓના પુનર્વસન પ્રોજેક્ટ વધુ સફળ રહ્યો. મધ્યપ્રદેશમાં આવેલ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી એક વખત વિદેશ ચિત્તાઓનો સમાવેશ કરાયો. શ્યોપુર જિલ્લામાં આવેલું કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ફેબ્રુઆરીનો દિવસ ફરી એક વખત યાદગાર બન્યો. આ ઉદ્યાન ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું જયારે ત્યાં શનિવારના દિવસે બોત્સ્વાનાથી 9 નવા ચિત્તા ઉદ્યાનમાં લવાયા. ચિત્તાઓ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી નિવાસ સ્થાન બની રહ્યું છે. ત્યારે ચિત્તાઓના પુનર્વસન પાછળ થયેલો ખર્ચ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણો ચિત્તાઓના ખોરાક અને પરિવહન પર સરકાર દરરોજ કેટલો ખર્ચ કરી રહી છે. તેને લઈને અત્યારે જોરદાર ચર્ચા થઈ રહી છે.
કુનો નેશનલ પાર્કમાં બોત્સ્વાનાથી આવ્યા 9 નવા ચિત્તા, વન્ય જીવ સંરક્ષણ અને ખોરાક પાછળના ખર્ચે વધારી ચિંતા, જાણો કેટલો થાય છે ખર્ચ
📅 Published: March 2, 2026 |
📂 Category: national
