કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ

📅 Published: March 15, 2026 | 📂 Category: India National


– છ મહિના બાદ લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટનો છૂટકારો

– આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિકો સાથે સંવાદ શરૂ કરવાના ઉદ્દેશ્યથી લેવાયો : કેન્દ્ર

– મહિના પહેલા સુપ્રીમે પણ અટકાયતમાં રાખવાના આધાર પુરાવા પર સવાલો ઉઠાવ્યા હતા, મેડિકલ રિપોર્ટ માગ્યો હતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પર લગાવેલ રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ એનએસએ હટાવી લીધો છે. સાથે જ તાત્કાલીક અસરથી વાંગચુકની અટકાયત પણ રદ કરી દેવામાં આવી છે. જેના પગલે વાંગચુકને મોડી સાંજે જોધપુરની જેલમાંથી મુક્ત કરાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *