
મુખ્યમંત્રી નિતિશને રાજ્યસભામાં મોકલવાનો વિરોધ
પક્ષ કાર્યાલયે જ લલ્લનસિંહ મુર્દાબાદના નારા લાગ્યા નિતિશના પુત્ર નિશાંત અંતે જદયુમાં સામેલ
પટણા: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યસભામાં જવાની તૈયારી કરી લીધી છે, તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રીનુ પદ છોડી શકે છે તેવા અહેવાલો વચ્ચે હવે તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, રવિવારે પટણા સ્થિત જદ(યુ) ઓફિસમાં કાર્યકર્તાઓ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે સામસામે મારામારી પણ થઇ હતી. દરમિયાન નિતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સત્તાવાર રીતે જદ(યુ)માં સામેલ થયા હતા.
