ટેન્કરમાંથી ૨૧૦૦૦ લિટર ઘી ઢોળાયું, લોકો વાસણ લઇને દોડયા

📅 Published: March 10, 2026 | 📂 Category: India National

હૈદરાબાદ,૧૦ માર્ચ,૨૦૨૬,મંગળવાર 

પાણીની કરકસરની વાત આવે ત્યારે ઘીની જેમ વાપરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ મોંઘા ભાવનું ૨૧૦૦૦ લિટર ઘી ઢોળાતા  લોકોએ ઘી ભરવા માટે બાલટીઓ લઇને પડાપડી કરી હોવાની ચકચારી ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં ઘી ભરેલું ટેન્કર કડપ્પા જિલ્લાના કોંડારુરમ મંડલમાં ઉથલી પડયું હતું. ટ્રક ડ્રાઇવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા આ પરિસ્થિતિ સર્જાઇ તેનો લોકોએ ભરપૂર લાભ ઉઠાવીને ઘી ભરવા લાગ્યા હતા. કોંડાપુરમ પોલીસને માહિતી મળી હતી કે ટેન્કર પુણેથી તિરુમાલા જઇ રહયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *