ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


Supreme Court news : ધર્મના નામે નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવે છે, જેને રોકવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે અરજદાર વકીલ શ્રૃતિ બિષ્ટની અરજી પર સુનાવણી કરતા ધર્મના નામે નિર્દોષ પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં 1960ના કાયદાની કલમ 28માં સુધારાની માગ કરાઈ છે, જેમાં ધાર્મિક કારણોસર પશુ હત્યાની છૂટ અપાઈ છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. આ અરજીમાં આરોપ કરાયો છે કે મંદિરો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અપાતી પશુ બલીના કિસ્સાઓમાં સરકારી સ્તરે પર્યાપ્ત કાર્યવાહી કરાતી નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *