
Chardham Yatra: બદ્રીનાથ અને કેદારનાથ ધામ અને સંબંધિત મંદિરોમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓ હવે લેખિત શરત સાથે પ્રવેશ કરી શકશે, તેના માટે તેમણે એક એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપવી પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આ વાત બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. આ અગાઉ સમિતિની બોર્ડ બેઠકમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બિન-સનાતનીઓના પ્રવેશ પર આંશિક રોક સાથે શરતી મંજૂરી
મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં બિન-સનાતનીઓનો પ્રવેશ વર્જિત રહેશે.
