બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે

📅 Published: March 17, 2026 | 📂 Category: India National


Chardham Yatra: બદ્રીનાથ અને કેદારનાથ ધામ અને સંબંધિત મંદિરોમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓ હવે લેખિત શરત સાથે પ્રવેશ કરી શકશે, તેના માટે તેમણે એક એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપવી પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આ વાત બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. આ અગાઉ સમિતિની બોર્ડ બેઠકમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બિન-સનાતનીઓના પ્રવેશ પર આંશિક રોક સાથે શરતી મંજૂરી

મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં બિન-સનાતનીઓનો પ્રવેશ વર્જિત રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *