
– કતારે ગેસનું ઉત્પાદન બંધ કરતા લેવાયેલો નિર્ણય
– ભારત દર વર્ષે 2.7 કરોડ ટન એલએનજીની આયાત કરે છે જે પૈકી 40 ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે
નવી દિલ્હી : ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઇરાનનાં ડ્રોન હુમલા પછી ઉત્પાદન ઠપ થવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. જેના કારણે ભારતીય ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.
