
Bhojshala Controversy: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ભોજશાળા અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સોમવારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને પક્ષકારોને તેની નકલ સોંપી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે પરિસરમાં સ્થિત મસ્જિદનું નિર્માણ ઇ.સ. 1265 માં કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભોજશાળાનું નિર્માણ માળવા ક્ષેત્રમાં મુગલોના આગમન પહેલા થયું હતું.
