
West Bengal Politics: પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી છે. નવમાં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા રાષ્ટ્રપતિએ કાર્યક્રમના આયોજન અને રાજ્ય સરકારના વલણ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી, જેની સામે મમતા બેનરજીએ પણ આકરા પ્રહાર કર્યાં હતા.
મમતા નાની બહેન જેવી છે, પણ આયોજન યોગ્ય નથી: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી.
