
Actor Rajinikanth vs Vijay : ચાહકોમાં ‘થલાઈવા’ નામથી જાણીતા તમિલ સુપર સ્ટાર રજનીકાંત અને અભિનેતા વિજયની રાજકીય પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ (TVK)ના નેતા આધાવ અર્જુનના કારણે ઉભા થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અર્જુના નિવેદન બાદ રજનીકાંતના સમર્થકો ઘણા ગુસ્સામાં હતા. જોકે હવે રજનીકાંતે વિવાદ પર ચૂપ રહેવાનું ટાળીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે સમર્થન કરનારા સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે અને કોઈપણ વધુ વિવાદ ઉભો કર્યા વગર પોતાની વાત રજુ કરી છે. તેમણે જે નિવેદન આપ્યું છે, તેનાથી તેમના ચાહકો ખુશ થઈ ગયા છે અને આધાવ અર્જુનની બોલતી પણ બંધ કરી દીધી છે.
