
President Murmu’s Vrindavan Visit: વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ હવે સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આગામી ત્રણ દિવસીય પ્રવાસ પહેલાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. વૃંદાવનના વાંદરાઓ પ્રવાસીઓના ચશ્મા ઝૂંટવી લેવા માટે જાણીતા છે, જેને રોકવા માટે આ વખતે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. વન્યજીવ કાયદાઓને કારણે અસલી લંગૂરનો ઉપયોગ શક્ય ન હોવાથી, પ્રશાસને વાંદરાઓને ડરાવવા માટે લંગૂરના કટઆઉટ(પુતળા) લગાવવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈ અવરોધ ન આવે તે માટે તંત્ર સજ્જ
