
Lok Sabha News : લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે 17 માર્ચે સસ્પેન્ડ થયેલા 8 સાંસદોનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન આ સાંસદોએ લોકસભામાં હોબાળો કર્યો હતો અને સ્પીકર પર કાગળો ફેંક્યા હતા, ત્યારબાદ અનુશાસનહીનના આરોપમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે પક્ષ અને વિપક્ષ વચ્ચે સામાધાન થયા બાદ સ્પીકરે તાત્કાલીક તેઓનું સસ્પેન્શન રદ કરી દીધું છે.
પક્ષ-વિપક્ષ વચ્ચે સમાધાન
સસ્પેન્શન રદ કરવા મુદ્દે કોંગ્રેસ સાંસદ સુરેશે કહ્યું કે, ‘સ્પીકરે કેટલાક નિર્દેશ આપ્યા છે અને સંસદીય બાબતોના મંત્રીએ પણ ગૃહની મર્યાદા અને અનુશાસનનો ઉલ્લેખ કર્યો છે.
