
Varachha crime news : સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ પ્રકરણ જેવી બાબતમાં બે સંતાનની માતાએ ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ગુરુવારે રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
