
Karnataka Politics: કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ સંઘર્ષ વચ્ચે પહેલી ડિસેમ્બરે શરૂ થનારા સંસદ સત્ર પહેલાં મુખ્યમંત્રી બદલવા કે નહીં તે અંગે નિર્ણય લેવાય શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉપમુખ્યમંત્રી ડી.કે શિવકુમારે સોનિયા ગાંધીને મળવા માટેનો સમય માંગ્યો છે અને 29 નવેમ્બરે તેઓ દિલ્હી મુલાકાત લઈ શકે છે. શિવકુમાર છેલ્લાં એક અઠવાડિયાથી રાહુલ ગાંધીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ તેમને વોટ્સએપ પર ‘કૃપયા રાહ જુઓ, હું તમને કૉલ કરીશ’ એવો જવાબ આપ્યો.
