
– અન્ય લોકોને જમીન વેચાણ બાનાખત કરી આપી હોવાનો આક્ષેપ
– જમીનમાં ખનન પ્રવૃત્તિ થતી હોવાની રજૂઆત સાથે કલેક્ટરને ગ્રામજનોએ આવેદન આપ્યું
નડિયાદ : કઠલાલના અરાલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની જમીન સરકારે પછાત વર્ગના લોકોને ખેડવા માટે આપી હતી. આ લોકોએ શરતોનો ભંગ કરી અન્ય લોકોને જમીન વેચાણ બાનાખતથી વેચાણે આપેલી છે અને જમીનમાં માટી ખનન પ્રવૃત્તિ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે જમીન ખાલસા કરવા માટે કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
