
માગશર સુદ પૂનમના ભગવાન આકારમાંથી નિરાકાર થયા હતા : કમંડળ કુંડ ખાતે મહાદતયાગ યજ્ઞા : ભોજન પ્રસાદ, ભવનાથ તળેટીમાં હરિ ઓમ તત્સ્ત જય ગુરૂ દતનો નાદ ગુંજશે
જૂનાગઢ, : ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દત્તાત્રેય ભગવાનની આવતીકાલે તા. 4ના જ્યંતી ઉજવાશે. માગશર સુદ પૂનમના ભગવાન આકારમાંથી નિરાકાર થયા હતા. દત્તાત્રેય જ્યંતી નિમિત્તે ગિરનારની ટોચ પર રાજોપચાર પૂજા સાથે મહા અભિષેક કરાશે જ્યારે કમંડલ કુંડ ખાતે મહા દત્ત યાગ યજ્ઞા યોજાશે. ભવનાથ તળેટીના આશ્રમોમાં પણ ભાવભેર ઉજવણી થશે.
