
NPS New Rule : કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)માં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાના ‘રિટાયરમેન્ટ ફંડ’માંથી એકસાથે 80 ટકા રકમ ઉપાડી શકશે, જ્યારે બાકીની 20 ટકા રકમમાંથી એન્યુઇટી(માસિક પેન્શન) ખરીદવી પડશે. અગાઉ ઉપાડવાનો નિયમ 60 ટકા અને માસિક પેન્શન રાખવાનો સમય 40 ટકા હતો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી(PFRDA)એ સત્તાવાર જાહેરાત કરીને નવો નિયમ ડિસેમ્બર-2025થી લાગુ કરી દીધો છે. આ નિયમ ઓલ સિટીઝન મોડલ અને કોર્પોરેટ NPS હેઠળ આવતાં કર્મચારીઓ પર લાગુ પડશે.
