
Nalsarovar Bird Poaching Case: શિયાળાની ઋતુમાં દૂરથી આવતા યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન ગણાતા નળ સરોવરમાં પક્ષીઓના શિકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે ધરજી (દુરગી) ગામમાં દરોડા પાડીને 38 જેટલા વિદેશી પક્ષીઓને શિકારીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. જો કે, શિકારીઓની નિર્દયતાને કારણે અનેક પક્ષીઓએ દમ તોડી દીધો છે.
વન વિભાગે ધરજી ગામના ત્રણ ઘરોમાં તપાસ કરી
વન વિભાગને બાતમી મળી હતી કે ધરજી ગામના મેણી વાળા ફળિયામાં કેટલાક લોકોએ ગેરકાયદે રીતે પક્ષીઓને કેદ કરી રાખ્યા છે.
