
– મે શંકરાચાર્ય હોવાનું પ્રમાણ આપ્યું હવે યોગીનો વારો
– માત્ર ભગવા વસ્ત્ર પહેરી લેવાથી કે ભાષણ આપી દેવાથી હિન્દુ નથી બની જવાતું, કસોટીમાંથી પસાર થવું પડે છે
કાશી : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. શંકરાચાર્ય હોવાનું પ્રમાણ માગવામાં આવ્યું જેના જવાબમાં હવે શંકરાચાર્યએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે મે તો શંકરાચાર્ય હોવાનું પ્રમાણ આપ્યું હવે યોગી આદિત્યનાથનો વારો છે, ૪૦ દિવસની અંદર યોગી સાબિત કરે કે તે પોતે હિન્દુ છે નહીં તો અમે ધર્મ સભા કરીને યોગીને નકલી હિન્દુ ઘોષિત કરીશું.
