
Surat News: સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી માત્ર આશ્વાસન મળ્યું છે, તેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી જતા આજે કતારગામ દરવાજાથી પાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી.
‘નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો’
આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં ‘રિઝર્વેશન હટાવો નહી તો મત ભુલાવી દઈશું’, ‘નેતા- નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો’, ‘પહેલા ન હતું રિઝર્વેશન તેથી અમે મિલકત ખરીદી હતી’, જેવા બેનર સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો.
