
– ઈયુ-અમેરિકા સાથે ભારતના વેપાર સોદાથી વિશ્વમાં આર્થિક સ્થિરતા આવશે : વડાપ્રધાન
– રાજ્યસભામાં પીએમના ભાષણના વિરોધ સાથે વિપક્ષનો વોકઆઉટ, લોકસભામાં વડાપ્રધાનના ભાષણ વિના આભાર પ્રસ્તાવ પસાર
નવી દિલ્હી : યુરોપીયન યુનીયન અને અમેરિકા સાથે ભારતના વેપાર સોદા પછી વિશ્વનો સ્થિરતામાં વિશ્વાસ વધ્યો છે. દુનિયા આજે નવા ગ્લોબલ ઓર્ડર તરફ આગળ વધી રહી છે. વિશ્વ મિત્ર તરીકે આજે ભારત અનેક દેશોનું વિશ્વસનીય ભાગીદાર બન્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે ગૃહમાંથી વોકઆઉટ કરી જેનારા કોંગ્રેસ સહિત વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, મોહબ્બત કી દુકાન લગાવનારા હવે મોદી કી કબ્ર ખુદેગીના નારા લગાવે છે, પરંતુ તેઓ ક્યારેય મોદીની કબર ખોદવામાં સફળ નહીં થાય.
