
Ahmedabad Bhadra Street Vendors: અમદાવાદના ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ટ્રાફિક જામની દલીલ કરી પાથરણાવાળાને પરત લાવવાનો વિરોધ કર્યો હતો, જેની સામે હાઈકોર્ટે કાયદાના અમલીકરણ અને આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા AMCને આદેશાત્મક સૂચનાઓ આપી છે.
AMCની દલીલ: ટ્રાફિક સમસ્યાનું બહાનું?
સુનાવણી દરમિયાન AMCના વકીલે મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ‘જો અત્યારે ફેબ્રુઆરી 2026માં 800થી વધુ પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં પરત લાવવામાં આવે, તો ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પાથરણાવાળાને 100 મીટર દૂર પ્લોટ-A અને Bમાં વચગાળાની વ્યવસ્થા તરીકે ખસેડવામાં આવ્યા છે.
