Ahmedabad News: વેજલપુરના રોપડા તળાવ પાસે 7 ધાર્મિક દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વેજલપુર વિસ્તારમાં જાહેર માર્ગો અને તળાવની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રોપડા તળાવ પાસે વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.

રોપડા તળાવ પાસે ધાર્મિક દબાણો હટાવ્યા

રોપડા તળાવની આસપાસનો વિસ્તાર, વેજલપુર. કુલ 7 જેટલા ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, આ દબાણો દૂર કરવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.

7 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા

સ્થાનિકો અને સંબંધિત પક્ષોને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય અપાયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે મ્યુનિસિપલ કોર્પોરેશને જેસીબી અને મશીનરી સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. તળાવના બ્યુટિફિકેશન અને જાહેર રસ્તામાં નડતરરૂપ બનતા આ દબાણો દૂર થવાથી વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે તેમ માનવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *