
Vadodara : વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે નારાજગી દર્શાવી તંત્ર સામે દેખાવો યોજ્યો હતો.
વડોદરા શહેરના વોર્ડ નં.16માં સમાવિષ્ટ દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી નારાજગી દર્શાવી હતી. રહીશોનું કહ્યું છે કે, અમારી સોસાયટીમાં 208 મકાનો છે. અહીં પાણી, ડ્રેનેજ અને રસ્તાની સમસ્યા છે.
