
Surat News : સુરતના પાલનપુર જકાતનાકા પાસે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગમાં દાદર તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગારી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે 19 લોકોની રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ
