Assam વિધાનસભા ચૂંટણી પહેલા ગુવાહાટી પહોંચ્યા અમિત શાહ, 15 માર્ચે યુવાનોને કરશે સંબોધિત

📅 Published: March 14, 2026 | 📂 Category: national

આગામી આસામ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો વ્યસ્ત છે. ભાજપ રાજ્યમાં સત્તા પાછી મેળવવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે (14 માર્ચ) બે દિવસની મુલાકાત માટે આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન અમિત શાહ સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે અને ભાજપની યુવા પાંખની રેલીને સંબોધિત કરશે.

સીએમ શર્માએ કર્યું સ્વાગત

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમિત શાહ શનિવારે સાંજે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા, ત્યારે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમનું સ્વાગત કર્યું.

અમિત શાહ કાનધારા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા સીએમ શર્માએ કહ્યું, “હું મા કામાખ્યાની ભૂમિ પર આદરણીય અમિત શાહજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગૃહમંત્રી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને આપણા યુવાનોને તેમના જ્ઞાનવર્ધક શબ્દોથી પ્રેરણા આપશે. દરમિયાન, પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી શાહ શહેરના કાનધારા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

ભાજપના આસામ મીડિયા રિલેશન્સ કોઓર્ડિનેટર ધ્રુવ જ્યોતિ મરાલે જણાવ્યું હતું કે અમિત શાહ આગામી આસામ વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવા માટે પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે. જ્યારે હજુ સુધી કોઈ સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી, તેઓ તેમના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Strait Of Hormuzમાં 22 ભારતીય જહાજ ફસાયેલા, ઈરાન સાથે વાતચીત ચાલુ: રાજેશકુમાર સિંહા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *