Delhi : રાષ્ટ્રપતિ ભવનમાં લુટિયન્સની જગ્યા પર હવે લાગી રાજાજીની મૂર્તિ

📅 Published: February 23, 2026 | 📂 Category: national

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્થાપિત કરવામાં આી છે. રાજગોપાલાચારીની પ્રતિમા રાષ્ટ્રપતિ ભવનના અશોક મંડપમની પાસે ગ્રાન્ડ ઓપન સ્ટેયરકેસમાં લગાવવામાં આવી છે, જે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે સ્થિત છે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન રહ્યા હાજર

આ ફેરફારને રાષ્ટ્રપતિ પરિસરમાં ભારતીય વ્યક્તિત્વો અને પરંપરાઓને મહત્વન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. અનાવરણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજાજી ઉત્સવ દરમિયાન થયો, જેમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન અને ઘણા કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ રાજગોપાલાચારીની ભૂમિકાને ભારતના ‘માનસિક વસાહતવાદથી મુક્તિ’ની પ્રક્રિયાથી જોડી. તેમને યાદ કર્યા કે સ્વતંત્રતા બાદ જ્યારે રાજાજી ગર્વનમેન્ટ હાઉસમાં રહેવા આવ્યા હતા, ત્યારે તેમને પોતાના રૂમમાં રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીના ચિત્ર લગાવ્યા હતા.

બ્રિટિશ અધિકારીઓના ચિત્રો પણ હટાવવામાં આવ્યા

રાષ્ટ્રપતિએ એ પણ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં હાલના વર્ષોમાં ઘણા ફેરફાર થયા છે, જેમ કે બ્રિટિશ અધિકારીઓના ચિત્રોની જગ્યાએ પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્ર લગાવવા અને ભવનના ઘણા ભાગને સામાન્ય જનતા માટે ખોલવા. તેમને કહ્યું કે કાયદો, રાજકારણ, સામાજિક સુધારો અને સાહિત્યના ક્ષેત્રમાં રાજગોપાલાચારીનું જીવન 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ તરફની સફરને પ્રેરણા આપે છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના સંદેશમાં કહેવામાં આવ્યું કે જ્યાં પહેલા લુટિયન્સની પ્રતિમા હતી, ત્યાં રાજગોપાલાચારીની પ્રતિમા સ્થાપિત કરવી ‘માનસિક વસાહતવાદથી મુક્તિ’નું મહત્વપૂર્ણ પગલું છે અને આજે રાષ્ટ્રપતિ ભવન ભારતીય સભ્યતામાં જન્મજાત લોકશાહીના આત્મવિશ્વાસનું પ્રતીક છે.

આ પણ વાંચો : EPFOએ કરી લીધી મોટી તૈયારી, આટલા PF એકાઉન્ટમાં જમા થશે રકમ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *