Essential Commodities Act : આવશ્યક વસ્તુ અધિનિયમ છે શું, સરકારે ગેસની અછત ટાળવા ઉગામ્યુ હથિયાર

📅 Published: March 10, 2026 | 📂 Category: national

આ વચ્ચે ભારત સરકારે ઘરેલુ રસોઈ ગેસ એટલે કે LPGની સપ્લાય સતત ચાલુ રહે તે માટે આવશ્યક વસ્તુ અધિનિયમ (Essential Commodities Act – ECA) લાગુ કર્યો છે. તેના હેઠળ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કંપનીઓને LPGનું ઉત્પાદન વધારવા અને કેટલાક ખાસ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ LPG બનાવવા માટે કરવા સૂચના આપવામાં આવી છે.

ECA શું છે?

આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 (Essential Commodities Act, 1955) ભારત સરકારનો એવો કાયદો છે, જે જરૂરી વસ્તુઓના ઉત્પાદન, સપ્લાય અને વિતરણને નિયંત્રિત કરે છે. તેનો મુખ્ય હેતુ જથ્થાબંધ સંગ્રહ (જમાખોરી) અને કાળાબજારી રોકીને જરૂરી વસ્તુઓ લોકોને યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ કાયદા હેઠળ સરકાર સ્ટોકની મર્યાદા પણ નક્કી કરી શકે છે.

12 ફેબ્રુઆરી 2007એ આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા 

આ અધિનિયમ અનુસાર સરકારને જરૂરી વસ્તુઓના ઉત્પાદન, સપ્લાય, વેપાર અને વાણિજ્યને નિયંત્રિત કરવા માટે આદેશ જારી કરવાનો અધિકાર છે. 12 ફેબ્રુઆરી 2007એ આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં દવાઓ, ખાતરો (જૈવિક અને અજૈવિક), ખાદ્ય પદાર્થો (તેલબિયાં અને ખાદ્ય તેલ સહિત), સંપૂર્ણ કપાસથી બનેલું હેન્ક યાર્ન, પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, કાચો જૂટ અને જૂટના ઉત્પાદનો તેમજ વિવિધ પ્રકારના બીજ અને શાકભાજીનો સમાવેશ થાય છે.

કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સરકાર આ કાયદાનો ઉપયોગ કરે

સરળ ભાષામાં કહીએ તો કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને જરૂરી વસ્તુઓની સપ્લાય સામાન્ય લોકો સુધી સતત પહોંચતી રહે તે માટે નિયમોમાં ફેરફાર કરે છે અને સપ્લાય ચેઇન પર અસર ન થાય તે માટે પગલાં લે છે.

આ અધિનિયમની ધારા 3 સરકારને જરૂરી વસ્તુઓના ઉત્પાદન, સપ્લાય અને વિતરણને નિયંત્રિત કરવાની સત્તા આપે છે. જ્યારે આ કાયદાનો ભંગ કરનાર સામે ધારા 7 હેઠળ સજા કરવાની જોગવાઈ પણ છે. ઘણા વખત સરકારે ઘઉં જેવી વસ્તુઓના સ્ટોક પર મર્યાદા પણ નક્કી કરી છે, જેમાં વેપારીઓ અને રિટેલરો માટે અલગ મર્યાદા નક્કી કરવામાં આવે છે.

સરકારે અન્ય શું આદેશ આપ્યા?

સરકારે આદેશ આપ્યો છે કે હવે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટો ગેસનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઉત્પાદનો કે અન્ય ઔદ્યોગિક કામ માટે નહીં કરી શકે. આ ગેસનો ઉપયોગ સીધો LPG બનાવવા માટે જ કરવો પડશે, જેથી ઘરોમાં રસોઈ ગેસની અછત ન સર્જાય.

સરકારનું કહેવું છે કે ભારતમાં રસોઈ બનાવવા માટે LPG એક ખૂબ જ મહત્વપૂર્ણ ઇંધણ છે, તેથી તેની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી છે.

સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આ વ્યવસ્થા હેઠળ મળતી LPG માત્ર ઘરેલુ ગ્રાહકોને જ આપવામાં આવે. આ નવો આદેશ 5 માર્ચના જૂના આદેશની જગ્યાએ લાગુ થયો છે અને આગામી સૂચના સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો: India LPG Supply Crisis : પેટ્રોલિયમ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે 25 દિવસ પહેલા બુક નહી થાય ગેસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *