રાજ્યભરમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, બે સિસ્ટમ સક્રિય થતા રહેશે વરસાદ.
અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું
ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાત ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે.જેના કારણે આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી,નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા સહિત સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે.
સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી બધી ગરમી પડતી નથી
માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે. દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે.
ગુજરાત સહિત ભારતમાં ગરમી વધી
માર્ચ મહિનાની શરૂઆત સાથે, સમગ્ર ભારતમાં લોકો પહેલાથી જ પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે. આ વર્ષે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ૮ થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ૧૦ માર્ચે, મુંબઈમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ૭ માર્ચે, દિલ્હીમાં ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ૫૦ વર્ષમાં માર્ચના પહેલા અઠવાડિયાનો આ સૌથી ગરમ દિવસ હતો. વધુમાં, ૧૧ માર્ચ, બુધવારના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં ૮.૪ ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે
વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન નિષ્ણાતો કહે છે કે હાલની તીવ્ર ગરમી એન્ટિસાયક્લોન સિસ્ટમને કારણે થઈ રહી છે. મુંબઈ હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિકો કહે છે કે દરિયાઈ ના વૈજ્ઞાનિકો પવનો ધીમા પડે ત્યારે આવી સિસ્ટમ બને છે, જેના કારણે તાપમાનમાં અચાનક વધારો થાય છે. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં એક એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આ પ્રદેશ પર સૂકા પૂર્વના પવનો ફૂંકાય છે.
