T20 વર્લ્ડકપ 2026 માટે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ યોજાવાની છે. બંને ટીમો 5 માર્ચ 2026 ના રોજ એકબીજા સામે સેમીફાઈનલ મેચ રમશે. ટીમ ઈન્ડિયા મુંબઈમાં આ મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવવાનું ટાર્ગેટ રાખશે.
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવા માટે ફેવરિટ લાગતી હતી. હવે BCCIએ આ મેચ પહેલા એક મોટું નિવેદન જાહેર કર્યું છે. ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ હવે ટીમ ઈન્ડિયા માટે જીતનો દાવો કર્યો છે.
સેમીફાઈનલ પહેલા BCCIનું મોટું નિવેદન
હોળીનું સેલિબ્રેશન કર્યા પછી BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો. તેમને સેમીફાઈનલ મેચ વિશે પૂછવામાં આવ્યું. તેમને સચોટ જવાબ આપ્યો કે ટીમ ઈન્ડિયા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો અને દાવો કર્યો કે ભારતીય ટીમ ચોક્કસપણે ફાઈનલમાં પહોંચશે. રાજીવ શુક્લાએ કહ્યું કે “ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મુંબઈમાં રમાશે. મને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતીને ફાઈનલમાં પહોંચશે.”
સેમીફાઈનલમાં પિચની સ્થિતિ કેવી હશે?
નોકઆઉટ મેચોમાં પિચ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે ટીમ કોમ્બિનેશન તે મુજબ નક્કી કરવામાં આવે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં ઘાસ છે. આનાથી ઝડપી બોલરોને મદદ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેચ પહેલા પિચ પર હાર્ડ રોલરનો ઉપયોગ કરવામાં આવશે, જેનો બેટ્સમેનોને ઘણો ફાયદો થશે.
ટીમ ઈન્ડિયા તેની પ્લેઈંગ 11માં ફેરફાર કરશે?
ભારતીય ટીમ સતત 2 જીત સાથે મેદાનમાં ઉતરી છે અને તેને પોતાનું સંપૂર્ણ કોમ્બિનેશન મળી ગયું હોય તેવું લાગે છે. સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા ખરાબ ફોર્મમાં છે, અને તેના સ્થાનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પુષ્ટિ આપી છે કે અભિષેક રમશે. પરિણામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી.
