દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે 10 માર્ચ, 2026થી આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પીટર એલ્બર્સના રાજીનામા બાદ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટીયાએ આંતરિમ રીતે સીઈઓ તરીકે કંપનીની જવાબદારી સંભાળવાનું શરૂ કર્યું છે.
કંપનીના બોર્ડે પીટર એલ્બર્સની કામગીરીના વખાણ કર્યા
ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે પીટર એલ્બર્સે કંપની માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. કંપનીના બોર્ડે પીટર એલ્બર્સની કામગીરીના વખાણ કર્યા અને જણાવ્યું કે તેઓએ ઈન્ડિગોનું વિશ્વસનીય અને સુગમિત કામગીરી ધરાવતી એરલાઈન બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કંપનીમાં કેવી રહ્યું યોગદાન?
નવા સીઈઓની નિમણૂક ટૂંક સમયમાં કરવાની કંપનીને આશા છે. બોર્ડના ચેરમેન વિક્રમસિંહ મહેતાએ જણાવ્યું કે રાહુલ ભાટિયા ઈન્ડિગોની કામગીરી, સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવા માટે કામગીરી ચાલુ રાખશે. ઈન્ડિગોના કર્મચારીઓ અને ઉદ્યોગ વિશ્લેષકો માટે આ ફેરફાર મહત્વનો બની રહ્યો છે, કારણ કે પીટર એલ્બર્સે કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાપિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે.
રાજીનામા બાદ રાહુલ ભાટિયા દ્વારા કંપનીના દૈનિક ઓપરેશન્સ, વ્યૂહરચના અને ગ્રાહક સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કંપની તરફથી જણાવ્યું છે કે નવા સીઈઓની નિમણૂક અંગે જાહેર કરવામાં આવતા જ વધુ માહિતી આપવામાં આવશે.
