ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત હાલમાં તેની ઈજામાંથી સાજા થવા માટે સખત મહેનત કરી રહ્યા છે. 10 જાન્યુઆરીના રોજ વડોદરામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ‘સાઇડ સ્ટ્રેન’ (ઇન્ટરનલ ઓબ્લિક મસલ) ની ઈજાને કારણે તેઓ મેદાનથી દૂર છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પંતે પોતાની ફિટનેસ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમની સ્થિતિમાં દિન-પ્રતિદિન સુધારો થઈ રહ્યો છે. હાલમાં તેઓ બેંગલુરુ સ્થિત BCCI ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) માં રિહેબિલિટેશન હેઠળ છે અને તેઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વહેલી તકે વાપસી કરવા માટે અત્યંત આશાવાદી છે.
ટૂંક સમયમાં મેદાન પર દેખાશે પંત
IPL 2026 ની શરૂઆત 26 માર્ચથી થવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખતા પંત પાસે રિકવરી માટે પૂરતો સમય છે. પંતે જણાવ્યું કે રમત પ્રત્યેનો તેમનો લગાવ અને આસપાસના લોકોનો સપોર્ટ તેમને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે છે. પંતના આ નિવેદનથી ખાસ કરીને લખનૌની ટીમ અને તેમના કરોડો ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પંતે એમ પણ ઉમેર્યું કે મેદાનથી દૂર રહેવાના સમય દરમિયાન તેમને જીવન પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ મળ્યો છે અને તેઓ ટોપ-લેવલના ક્રિકેટમાં ફરીથી રમવાનો આનંદ માણવા આતુર છે.
આ પણ વાંચો : Ahmedabad News : ઋષભ પટેલ આત્મહત્યા કેસ, નાના ચીલોડામાં યોજાઈ શ્રદ્ધાંજલિ સભા, ન્યાય માટે ઉઠ્યો જનતાનો અવાજ
