
NIA Arrest Ukraine Citizens Case : ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓના કાવતરામાં NIA દ્વારા ધરપકડ કરાયેલા 6 નાગરિકોના મુદ્દે યુક્રેને ભારત સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. યુક્રેને પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિ અને કાઉન્સિલર એક્સેસની માંગ કરી છે.
ભારત વિરુદ્ધ આતંકી કાવતરું રચવાના આરોપ
NIA ના આરોપો મુજબ, આ જૂથ મ્યાનમારના સશસ્ત્ર જૂથો માટે યુરોપથી ડ્રોનની મોટી ખેપ ગેરકાયદેસર રીતે મંગાવવામાં સામેલ હતું અને પ્રતિબંધિત ભારતીય વિદ્રોહી જૂથોને તાલીમ અને હથિયાર પૂરા પાડતું હતું. આ કેસમાં એક અમેરિકન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે, જોકે અમેરિકન દૂતાવાસે ગોપનીયતાના કારણોસર આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
