સુરત શહેરના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના પુત્ર પરવેઝ અને તેની પુત્રવધૂ શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો, અને આ સંબંધ તથા ઘરમાં અવારનવાર થતા પૈસાના વિવાદને કારણે હત્યાનો કાવતરું ઘડાયું હતું.
હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી
મુલાકાત અનુસાર, 10 માર્ચે પરવેઝ અને શબાના સાથે હમસફર ફિરોઝ આલમે મળી હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી હતી. લાશ એક દિવસ ઘરમાં છુપાવી રાખ્યા પછી 11 માર્ચના બપોરે હનુમાનજી મંદિર પાસે કોથળામાં ફેંકી દીધી હતી.
ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મળી
પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મળી આવી, જે કોથળામાં ઉપયોગમાં લેવાયેલ દોરી સાથે બિલકુલ એકસમાન હતી. આ પગલાએ પોલીસને પાક્કી શંકા આપી કે હત્યા કુટુંબના જ સભ્યો દ્વારા કરવામાં આવી છે.
શબાનાના પિતા ફિરોઝ આલમ ફરાર થયો હતો
શબાનાના પિતા ફિરોઝ આલમ ફરાર થયો હતો, પરંતુ બિહાર એસટીએફની મદદથી પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પરવેઝ, શબાના અને ફિરોઝની ધરપકડ થઈ ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પૈસાના ઝઘડા અને પુત્ર-પુત્રવધૂ વચ્ચેનો પ્રેમ સંબંધ
અધિકારીઓએ જણાવ્યું કે આ હત્યાનું મુખ્ય કારણ પરિવારમાં પૈસાના ઝઘડા અને પુત્ર-પુત્રવધૂ વચ્ચેનો પ્રેમ સંબંધ હતો. આ દુખદ અને ચોંકાવનારી ઘટનાને લઇ સમગ્ર સુરત વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો—- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે
