
Gujarat High Court News: કચ્છના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની 108 હેકટર ગૌચરની જમીન અદાણી સેઝ પાસેથી પાછી લઈ લેવાના રાજ્ય સરકારના વિવાદીત નિર્ણયને અને ગુજરાત હાઇકોર્ટના આ અંગેના હુકમને અદાણી જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની આખરી સુનાવણીના અંતે સુપ્રીમકોર્ટે એક અગત્યના આદેશ મારફતે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને ફાળવાયેલી જમીન પરત લેવાના સરકારના નિર્ણયને અને આ અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે અદાણી જૂથને બહુ મોટી રાહત મળી છે.
અદાણી પોટ્ર્સ એન્ડ સેઝ લિ.ને મોટી રાહત
