
Telangana Horror: તેલંગાણામાં એક બાદ એક અનેક ગામોમાં એકસાથે અનેક રખડતાં કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે. જેના કારણે દેશભરના પશુપ્રેમીઓ ગુસ્સે ભરાયા છે. તાજેતરમાં જ જગતિયાલ જિલ્લામાં 300 કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 900થી વધુ રખડતાં કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આરોપ છે કે આ હત્યા વિવિધ ગામના સરપંચો જ કરાવી રહ્યા છે.
