
Ahmedabad Vastrapur Lake: અમદાવાદના પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર તળાવનું રુપિયા 10 કરોડના ખર્ચે કરવામાં આવેલું નવીનીકરણનું કાર્ય આખરે દોઢ વર્ષની લાંબી કામગીરી બાદ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ આ તળાવનું ઉદ્ઘાટન કરીને તેને શહેરીજનો માટે ખુલ્લું મૂકશે. જોકે, આ તળાવમાં પ્રવેશ માટે હવે રુપિયા 10ની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રૂપિયા 10 કરોડના ખર્ચે નવિનીકરણ કરાયું તળાવ
વસ્ત્રાપુર તળાવ અગાઉ ઉંદરો દ્વારા કોતરી ખાવાના કારણે નુકસાન પામ્યું હતું, જેને કારણે AMC દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી રૂપિયા 10 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
