
Ahmedabad News: અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. 25 ડિસેમ્બર સુધી બંધ કરાયેલ આ બ્રિજ ખોલવામા આવે એવી કોઈ સંભાવના નથી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજના રિપેરીંગ અને કલરકામ પાછળ કોર્પોરેશને પાંચ વર્ષમાં રૂપિયા 35 કરોડનો ખર્ચ કર્યો છે. હાલ બંધ કરવામાં આવેલા સુભાષ બ્રિજની ફૂટપાથ રિપેર કરવા તથા બ્રિજ ઉપર થીકસ ટ્રોપિક પેચવર્ક કરવા રૂપિયા 25 લાખનો ખર્ચ કરાયો હતો. પ્રશ્ન એ છે કે જે સમયે સુભાષબ્રિજ ઉપર ફૂટપાથ રિપેર કરાયો એ સમયે બ્રિજની સ્થિતિ કેમ તંત્રના ઘ્યાનમાં ના આવી.
