
Ahmedabad Sanand Highway: અમદાવાદથી વિરમગામ અને કચ્છથી અમદાવાદ આવવા માટેના રસ્તા પર સાણંદથી સનાથલ રીંગ રોડ તરફ આવતા ભારે ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે સાણંદથી અમદાવાદ આવવા માટે અડધો કલાકનો સમય થતો હોય છે પરંતુ, સનાથલ રીંગ રોડ પર રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલતુ હોવાથી અમદાવાદ આવતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાણંદ-સનાથલ માર્ગ પર હાલાકી
કચ્છ અને વિરમગામ તરફથી આવતા વાહનચાલકોને સાણંદ થઈને રીંગ રોડ પસાર કરીને સનાથલ ચાર રસ્તા સુધી પહોંચવાનુ હોય છે. સામાન્ય રીતે સાણંદથી અમદાવાદ આવતા 30 મિનિટ સુધીનો સમય જાય છે.
