
Ahmedabad News : અમદાવાદના જાણીતા વિસ્તાર જજીસ બંગલો નજીક આવેલા એનઆરઆઈ ટાવરમાં એક હચમચાવી દેતી ઘટના બની હતી. અહીં એક પતિએ તેની પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.
વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે વધુ ઉગ્ર બની જતાં તેના લોહિયાળ પરિણામ સામે આવ્યા હતા.
