
Mobile Addiction: અમદાવાદ મેટ્રોમાં મોબાઈલ મગ્ન મુસાફરો અનેકવાર નિયમિત પોતાનું સ્ટેશન ભૂલી જાય છે. અમદાવાદની એક જાણીતી પ્રાઈવેટ કોલેજના સર્વેમાં 55 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ‘અમે મહિનામાં એકવાર મોબાઈલમાં ખૂબ વ્યસ્ત હોવાના કારણે અમારું સ્ટેશન ભૂલી જઈએ છીએ અને અમારે ફરી મેટ્રો પકડીને પાછા આવવું પડે છે.’
68 ટકા મેટ્રો પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, તેઓ મોબાઈલ વિના પ્રવાસ જ કરી શક્તા નથી. 42 ટકા લોકોએ જણાવ્યું હતું કે જો તેમના મોબાઈલની બેટરી 30 ટકાથી ઓછી થઈ જાય છે તો તેઓ ચિંતામાં સરી જાય છે અને એન્કઝાઈટી અનુભવે છે.
