
Ahmedabad | T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જનપથ ટીથી મોટેરા ગામ ટી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેથી મેચ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન આવે.
