
Ahmedabad Shahibag Under Pass : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ની કામગીરીને પગલે અગાઉ શાહીબાગ અંડરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
અગાઉનો નિર્ણય રદ
અગાઉ પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાણ કરવામાં આવી હતી કે, બુલેટ ટ્રેનના પિલર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે શાહીબાગ અંડરબ્રિજ તારીખ 05/01/2026 થી 12/01/2026 સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
