
Ahmedabad News: અમદાવાદના નિકોલમાં વિરાટનગર બ્રિજ પાસે બજરંગ દળના કાર્યકરો દ્વારા મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. ગેરેજ પર કામ અર્થે આવેલા લઘુમતી સમાજના બે યુવકો પર શંકા રાખીને બજરંગદળના કાર્યકરોએ જાહેરમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરી તેમને સ્થળ પરથી રવાના કરી દીધા હતા, જેના કારણે રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. મહત્વનું છે કે, ડીસીપીના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
બાઈક લેવા આવ્યા હતા યુવકો
