
Ahmedabad Kharicut Canal: અમદાવાદની ઓળખ સમાન ખારીકટ કેનાલના નવીનીકરણના કામમાં તંત્રના સંકલનનો અભાવ છતો થયો છે. એક તરફ કેનાલને પાકી બનાવવાની કરોડોની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સિંચાઈ વિભાગે અચાનક પાણી છોડતા કોન્ટ્રાક્ટરે અધવચ્ચે કામ રોકી દેવાની ફરજ પડી છે. ખેડૂતોના હિતમાં પાણી છોડાયું તે આવકાર્ય છે, પરંતુ ‘શું તંત્રને ખબર નહોતી કે કેનાલનું કામ ચાલુ છે?’ તેવા સવાલો હવે ઊઠી રહ્યા છે.
વિકાસ અને જરૂરિયાત વચ્ચે તંત્ર અટવાયું
સિંચાઈ વિભાગ અને કેનાલનું બાંધકામ કરતા વિભાગ વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે.
