
Ahmedabad News : અમદાવાદના ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભુને 108 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે.
ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી
હરેકૃષ્ણ મંદિર-ભાડજ ખાતે ભગવાનને ખાસ અભિષેક અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નિત્યાનંદ પ્રભુની કિર્તીનું મહતા દર્શાવતી આરતી સુંદર રીતે કરવામાં આવી હતી.
