
Amreli News : અમરેલીમાં સાવરકુંડલાના ઉદ્યોગપતિનો બિલ્ડર પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરીયાનો પુત્ર રવિ પાનસુરીયા ગુમ થયો છે. ગત 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી રવિએ સ્યુસાઈડ નોટ લખી હતી. સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે ઉદ્યોગપતિના લાપતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.
સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિનો પુત્ર લાપતા
