
Budget 2026: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ઈરાનના વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ચાબહાર પોર્ટ માટે કોઈ પણ પ્રકારની નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી. વર્ષો પછી આ પહેલી ઘટના છે જ્યારે આ પ્રોજેક્ટ માટે બજેટ શૂન્ય રહ્યું હોય. આ નિર્ણયને પગલે વિદેશ અને સંરક્ષણ બાબતોના નિષ્ણાતોએ ભારતની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.
વ્યૂહાત્મક વિશ્લેષકે આપી મોટી ચેતવણી
જાણીતા વ્યૂહાત્મક વિશ્લેષક બ્રહ્મ ચેલાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
