
S. Jaishankar America and China : વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, ‘દુનિયા આ સમયે એવા વળાંક પર છે કે, જ્યાં અમેરિકા અને ચીનની નવી નીતિએ વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી દીધી છે. જેમાં બદલાતી પરિસ્થિતિમાં દેશોને એ નક્કી કરવું મુશ્કેલ છે કે, તેઓને પ્રતિસ્પર્ધા પર ધ્યાન આપવું જોઈએ કે સમજૂતી પર.
