વેસુ મહાવિદેહધામમાં આચાર્ય વરબોધિસૂરિજી, ઉપાધ્યાય ઈન્દ્રવિજયજી, પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી, પંન્યાસ પદ્મબોધિવિજયજી આદિ શતાધિક શ્રમણ-શ્રમણી વૃંદની નિશ્રામાં આચાર્ય પદપ્રદાન મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય પ્રસંગનો પ્રારંભ થયો હતો. જેમાં ‘પ્રભાવકોની પાવન કથા’ આ વિષય ઉપર સવારે 9થી 11 સુધી ધર્મસભાનું આયોજન થયું હતું. જેમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, દિવ્યશક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે મંત્ર શકિત પણ ક્યારેક ચમત્કાર સર્જે છે. પુણ્ય, પ્રભાવ અને પ્રજ્ઞાના વિકાસથી આચાર્ય પંચાચારના પાલન દ્વારા ઘણાં સુકૃતોનું સર્જન કરે છે. આચાર્ય વિશિષ્ટ કોટિનાં સર્જન કરે છે. આચાર્ય પદ એ સમજદારી અને જવાબદારીનું પદ છે.
આચાર્ય પદપ્રદાન મહોત્સવનો પ્રારંભ:‘આચાર્ય પંચાચારના પાલનથી ઘણાં સુકૃતોનું સર્જન કરે છે’
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
